ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે.
ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે. 2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે. 3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે. 2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી. 3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.