GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે. 2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે. 3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને તે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે. 4. ગ્રામ ન્યાયાલયની બેઠક એ જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય. 2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય 3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય. 4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય
GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી. 2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે. 3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.