GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ? 1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. 2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. 3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ જમીનથી હવામાં મિસાઈલ છે. II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે. III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે. IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I યોજનાઓ / સમિતિઓ 1. વિશ્વેશ્વરાયા યોજના 2. બોમ્બે યોજના 3. ગાંધીયન યોજના 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) યાદી-II મુખ્ય ભલામણો a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો. d. આયોજન પંચની ભલામણ કરી