GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે. 2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે. 4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી. 2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. 3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.