GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના હેતુઓમાંનો એક હેતુ ગંગા નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ વિષયક પ્રવાહને (Ecological flows) ___ ધ્યેય સાથે જાળવી રાખવાનો છે.

પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પર્યાવરણીય ટકાઉ વિકાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.

I, II, III અને IV
ફક્ત I અને IV
ફક્ત I, II અને IV
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહેસૂલી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંન્નેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3ઙ
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP