GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોજના હેઠળ આવાસનું લઘુત્તમ કદ 20 ચો.મી. થી વધારીને 25 ચો.મી. કરવામાં આવ્યું છે.
2. સાદા વિસ્તારોમાં (plain) એકમ સહાયતા રૂા. 70,000 થી વધારીને રૂા. 1,20,000 કરવામાં આવી છે અને પહાડી રાજ્યોમાં તે રૂા. 75,000 થી વધારીને 1,30,000 કરવામાં આવી છે.
3. સાદા વિસ્તારોમાં એકમ સહાયતાની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે અને ઉત્તરીય અને હિમાલીય રાજ્યમાં તે 60:40 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
Q અને P વચ્ચે કયો સંબંધ છે ?

ભત્રીજો-ફોઈ
ભાઈ-બહેન
આપેલ પૈકી કોઈ નહીં
પુત્ર-માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલય અનુસાર પાવરપ્લાન્ટના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વર્ગ A પાવર પ્લાન્ટ - નેશનલ કેપીટલ રીજીયન અને 10 લાખથી વધુ વસ્તુ ધરાવતા શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં
2. વર્ગ B પાવર પ્લાન્ટ - ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો (critically polluted areas ) અથવા નોન એટેનમેન્ટ(non-attainment) શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં
3. વર્ગ C પાવર પ્લાન્ટ – નદીપટની 10 કિ.મી. ત્રિજ્યામાં
4. વર્ગ D પાવર પ્લાન્ટ - વર્ગ A, B અને C માં આવતાં ના હોય એવા તમામ અન્ય પાવર પ્લાન્ટ

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે.
શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું.
2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો.
3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP