GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. સિદ્દી (Siddi)
2. કોલઘા (Kolgha)
3. પઢાર (Padhar)
4. પટેલીયા (Patelia)
યાદી-II
a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે.
d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ

1 - d‚ 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - b, 2 - a, 3 - c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર
૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ
4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર

માત્ર 2 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
ખુદીરામ બોઝ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું.
II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું.
III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.

I, II અને III
ફક્ત I અને III
ફક્ત I
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP