GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં. III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. 2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે. 3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું. II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી. III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.