GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે. 2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. 3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે. 4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.