GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ISS એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus અને Japanese Kibo નો સમાવેશ કરે છે. 2. સ્ટેશન 278 કિમી અને 460 કિમીની વચ્ચે ભ્રમણકક્ષામાં જાળવવામાં આવે છે. ૩. ISS એ અતિ ઓછા ગુરૂત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.