GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે. 2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે. 3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય. 2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. 3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે. 4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું. II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું. III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.