GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે.

વેસર
દ્રવિડ
નાગર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાકેશ પૂર્વ તરફ જોઈ ઊભો છે. ત્યાંથી તે ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે પુનઃ ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. પછી તે જમણી તરફ 45° ના ખૂણે ફરી 25 મીટર ચાલે છે. હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે ?

ઉત્તર-પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ
ઉત્તર-પૂર્વ
દક્ષિણ-પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના (CBSE) ના યોગ્યતા આધારિત મૂલવણી માળખા (Competency Basel Assessment Framework) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોગ્યતા આધારિત મૂલવણી માળખું ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે.
2. આ માળખું અમેરીકન એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
3. આ માળખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિર્દેશાનુસાર આગામી 2 થી 3 વર્ષમાં હાલની ટેવ આધારી શીખવાની પધ્ધતિ (Rote learning model) ની જગ્યાએ નવી પધ્ધતિ (new model) લાવવાનું લક્ષ્ય રાખે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

રૂ. 39,800
રૂ. 38,000
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 34,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP