GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. 2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી 3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી. 4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં નીચેના પૈકી કયો SAARC દેશ એ United Nations Human Rights Council (UNHRC) (સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ) ના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે. 2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે. 3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.