GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે. ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે. iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે. ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે. iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે. iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.