GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે.
ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે.
iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.

i, ii અને iii
ફક્ત iii
ફક્ત ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા રાજ્યનો દાયકાનો વસ્તી વધારાનો દર 2001 થી 2011 દરમ્યાન સૌથી ઊંચો છે ?

તમિલનાડુ
પશ્ચિમ બંગાળ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે.
ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે.
iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે.
iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii
ફક્ત i અને iv
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત ii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.
ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.
iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.
iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.

ફક્ત ii અને iii
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે.

આપેલ પૈકી એક પણ નહીં
શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ
શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ
કટુનાયકા રીપબ્લીકન પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP