GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે. (II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે. (III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે. (IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે. (II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે. (III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે. (IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.