GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?

6 : 17
5 : 19
આપેલ પૈકી કોઈ નહીં
5 : 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે.
2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે.
3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે.
4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?

640
480
240
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો.
2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો.
3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે.

ફક્ત 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
રોગ - કારક એજન્ટ - સંક્રમણની રીત
1. પોલિયો અથવા પોલિયો માયલિટિસ - પોલિયો વાઈરસ - પાણી/મોઢામાંથી નીકળતા પદાર્થ(faecal mouth)
2. પગ અને મોંઢાના રોગ - પાઈકોરના વાઈરસ – નજીકથી સંપર્ક
3. શીતળા - વેરિઓલા બેક્ટેરિયા – હવા / સંપર્ક / પાણી

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP