GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

સારસ - સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ
ફાલ્કન - રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઈલ
અર્જુન - સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક
આઈ. એન. એસ. કદંબ - કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?

આપેલ માંથી એક પણ નહીં
પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે.
આપેલ બંને
ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે.
2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.
3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી
4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.

માત્ર 2,3 અને 4
માત્ર 1,2 અને 4
માત્ર 3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

અનુશીલન સમિતિ
હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન
હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
ગદર પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP