GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડેલા નથી ?

કોટોપાક્ષી - જ્વાળામુખી પર્વત
નીલગીરી - શેષ પર્વત
એન્ડિઝ - ગેડ પર્વત
રાજમહાલ ટેકરીઓ - ખંડ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચું / સાચાં છે ?
1. સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, POK તથા ચીન સાથે છે.
2. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન, ચીન અને મ્યાંમાર સાથે છે.
3. પશ્ચિમ બંગાળને ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે છે.
4. રાજસ્થાન પછી ગુજરાત એ પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.

ફક્ત 4
ફક્ત 1,2 અને 4
ફક્ત 1
ફક્ત 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત iii
આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત ii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ?

નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી.
આપેલ બંને
કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી.
2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.
3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP