GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે. કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા. કારખાનાઓ P અને Q દ્વારા થયેલ કુલ વેચાણ અને કારખાનાઓ O અને N દ્વારા થયેલ કુલ વેચાણનો ગુણોત્તર કેટલો થશે ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં પ્રસ્તાવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ખાનગી સભ્ય પ્રસ્તાવ (Private Member Resolution) – તે ફક્ત બપોરની બેઠકમાં એકાંતર (alternative) શુક્રવારે ચર્ચા કરવામાં આવે છે. 2. સરકારી પ્રસ્તાવ – તે સોમવારથી ગુરૂવાર સુધીમાં કોઈપણ દિવસે હાથ ઉપર લઈ શકાય છે. 3. વૈધાનિક પ્રસ્તાવ – તે ફક્ત મંત્રીઓ દ્વારા જ રજૂ કરી શકાય છે. 4. વૈધાનિક પ્રસ્તાવ – તે હંમેશા બંધારણની જોગવાઈઓ અથવા સંસદના કાયદા અનુસાર મેજ ઉપર મૂકવામાં આવે છે.