GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે. 2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે. 3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
National Council of Applied Economic Research (પ્રયોજીત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ) ની Land Records and Service Index (જમીન દફતર અને સેવા સૂચિ) ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડીજીટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય ___ મા ક્રમે આવેલ છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં. 2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ. 3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.