GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફિફો (FIFO) પધ્ધતિના સંબંધિત નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) ઘટતા ભાવોના સંજોગોમાં આ પધ્ધતિ વધુ સારા પરિણામો આપે છે.
(II) આખર સ્ટોક બજારભાવ રજૂ કરે છે.
(III) ઘટતા ભાવોના સંજોગોમાં, ઓછી માલસામાનની પડતરના કારણે નફામાં વધારાનું વલણ હોય છે.
(IV) ઉપયોગમાં લીધેલ માલસામાનની પડતર ચાલુ બજારભાવનું પ્રતિબિંબ છે.

માત્ર (I) અને (III) સાચાં નથી
માત્ર (IV) સાચું નથી
માત્ર (I) અને (II) સાચાં નથી
માત્ર (III) અને (IV) સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

ઋણ સેવા - બચત ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર
વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર
વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.
તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.
તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ના કિસ્સામાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) IMF એ UNO સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થા છે.
(II) પ્રતિભાગી દેશો પાસેથી નક્કી કરેલા નિયત હિસ્સા પ્રમાણે નાણાં મેળવે છે.
(III) સભ્ય દેશોએ મૂડી ભંડોળમાં આપેલ ફાળાને આધારે તેમનો હિસ્સો નિયત કરવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારાની કઈ કલમમાં આવકની ગણતરી માટે હિસાબી પધ્ધતિ અને હિસાબી ધોરણો આપવામાં આવેલ છે ?

કલમ 135
કલમ 155
કલમ 125
કલમ 145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP