GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નેનો ટેક્નોલોજી બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. તે અણુથી અણુ (atom by atom) દ્વારા સામગ્રી અને ઉપકરણો બનાવવા માટેની તકનીક છે. ii. નેનોમીટર માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે. iii. નેનો મીટર માપ પર રાસાયણિક ગુણધર્મો કદાપિ બદલાતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે. ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે. iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે. iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.