GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો. ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. 2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી 3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી. 4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. 2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. 3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી 4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.