GPSC PI Prelim Exam Paper 03 January 2021
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ?
i. લિચ્છવિ
ii. વાકાટક
iii. નાગ
iv. કદંબ

ફક્ત ii અને iii
ફક્ત i,ii અને iii
i.ii.iii અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?

57.76%
આપેલ પૈકી એક પણ નહીં
48.55%
67.85%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ?
i. મોહેં-જો-દરો
ii. હરપ્પા
iii. કાલીબંગા
iv. બનાવલી

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ
ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ
ધોલાવીરા અને ભુવાનગીરી
ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP