GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે. ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે. iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે. iv. GST એ પ્રત્યક્ષ કર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે - i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય. ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોય iii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોય iv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય.