GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, iii, iv અને v
i, iv અને v
i, ii, iv અને v
ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ?

નિર્મલા સીતારામન
અનુરાગસિંહ ઠાકુર
શક્તિકાન્ત દાસ
જયશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ?

આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે.
આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે.
આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે.
આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP