GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, iii, iv અને v
i, ii, iv અને v
i, iv અને v
ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ગિફન વસ્તુઓ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. ગિફન વસ્તુઓની માંગ રેખા ધન ઢાળની હોય છે.
II. ગિફન વસ્તુઓ એવી હલકી વસ્તુઓ છે, જે માંગના નિયમનો ભંગ કરે છે.
III. ગિફન વસ્તુઓ સટ્ટાકીય વસ્તુઓ છે.
IV. બધી હલકી વસ્તુઓ ગિફન વસ્તુઓ છે.

II અને IV
I અને II
I અને III
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે –

મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા
આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા
આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા
ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સેક્રેટરીયલ ઓડીટને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટેક્ષ ઓડીટ
પડતર ઓડીટ
અનુપાલન ઓડીટ (Compliance Audit)
નાણાકીય ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ?

જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.
આપેલ તમામ
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે
રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP