GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

ii, iii અને iv
i, ii, iv અને v
i, iv અને v
i, iii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___

વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે.
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે.
કેન્દ્ર સરકાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારના સંદર્ભમાં એમ ચોક્કસપણે કહી શકાય કે 1991ના સુધારા બાદ વ્યાપાર - GDP ગુણોત્તર___

વધ્યો છે.
આપેલ પૈકી એક પણ નહીં
ઘટ્યો છે.
સ્થિર રહ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.
નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.
પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી.
IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે.
IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે.
તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે
II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.
III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે
IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે

I અને II
II અને III
II, III અને IV
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP