GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે. 2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી. 3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. 2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી. 3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચાં છે ? 1. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. 2. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મૂકાયેલી પ્રજાતિ ગણાવે છે. 3. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ? ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. 2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે. 3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.