GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ?

NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે.
NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે.
NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે.
રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં.

મહાગ્રંથ
આદિગ્રંથ
નિર્ગ્રંથ
સુરગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?

4
8
આપેલ પૈકી એક પણ નહીં
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP