GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ?

ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.
ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે.
ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.
ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.
II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે.
III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.

I, II અને III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે.
કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ___ ખાતે વિસ્તૃત હોય છે.

કેન્દ્રીય વિસ્તાર
ઉત્તર ધ્રુવ
દક્ષિણ ધ્રુવ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત I અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP