GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'nicely' માટેનો સંકેત કયો છે ?

he
ma
si
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ?

પંચસખા
ઈસ્માઈલિયા
શરણિયા
સહજિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ?
i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી.
ii. કૃષિ બેંકની સ્થાપના કરી.
iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું.
iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.

ફક્ત i,iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i અને iii
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.

માત્ર 4
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાંને યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્ય - મુખ્ય પ્રાણીઓ
_________________________ ________
1.ચંદ્રપ્રભા અભયારણ્ય----- ગીરના સિંહ, સાબર
2. દાંડેલી અભયારણ્ય------- વાઘ, હાથી, જરખ
3.જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન-- નીલ ગાય, બારાસીગો , દીપડો
4.ગીન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન---- બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક

ફક્ત 1 અને 3
1,2,3 અને 4
ફક્ત 1,2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.

ફક્ત iv
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત i અને iv
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP