GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે. 2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે. ૩. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં ‘‘સૂત્ર-પિટક’’ નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યાં છે. 2. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. 3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્ય કરવામાં આવ્યાં છે.