GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? 1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. 2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. 3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. 4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે. 1. દૂરસંચાર ઉપગ્રહ 2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ 3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે. 2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે. 3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે. 4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.