GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.
2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું.
3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું.
4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ ઉત્તર (later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો.
યાદી - I
1. પાંચાલ
2. ગાંધાર
3. પૂર્વ માદ્રા
4. કોશલ
યાદી - II
a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
b. રાવલપીંડી અને પેશાવર
c. કાંગરા નજીક
d. ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ

1 - a, 2 - b, 3 – c, 4 - d
1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - d, 2 - a, 3 - b, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે.

આપેલ પૈકી કોઈ નહીં
6% કરતાં ઓછો
6 થી 12% ની વચ્ચે
12 થી 18% ની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વૃક્ષનું આર્થિક મૂલ્ય સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ એ ___ ના અનુમાન દ્વારા કરવું તે છે.

(લાકડાની માત્રા અને તેનો બજાર દર) તથા (વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા ) બંને ના સરવાળા બરાબર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર પરિસ્થિતિકીય તંત્રની (ecosystem) સેવાઓના વાણિજ્યિક મૂલ્ય દ્વારા
લાકડાની માત્રા અને તેનો બજાર દર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે.
2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે.
3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે.
4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP