GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી.
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી.
3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં.
4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.

માત્ર 2,3 અને 4
1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ?
1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી.
2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે.
3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે.
4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.

માત્ર 1 અને 2
1,2,3 અને 4
માત્ર 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. માણેકઠારી પૂનમનો મેળો
b. મેઘ મેળો
c. રૂપાલની પલ્લીનો મેળો
d. ચૂલ મેળો
i. અગ્નિદેવ
ii. વરદાયિની માતા
iii. મેઘરાજા
iv. રણછોડરાયજી

a-i, b-ii, c-iv, d-iii
a-iv, b-iii, c-i, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

બીજા
ચોથા
નક્કી ન કરી શકાય
છઠ્ઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઇ શકે છે.
બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ?

અરવિંદો ઘોષ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તીલક
બિપીનચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP