GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી. 2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. 3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મ્યાનમારનું ચલણ યાંગ છે. II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે. III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા. IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.