GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.