GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.
2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.
3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અરવલ્લી પર્વતો વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે વિશ્વના સૌથી જૂના ખંડ (block) પર્વતોમાના એક છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
દિલ્હી સ્થિત રાયસીના (Raisina)ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP