GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય.
2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.
3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
1830માં ___ દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર" નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઈતિહાસ ક્રમબધ્ધ રીતે આલેખવામાં આવ્યો છે.

મુહમ્મદખાન
મુર્તજા કુરેશી
મુલ્લા ફિરસોસી
દીવાન રણછોડજી અમરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃધ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ?

1,73,056
આપેલ પૈકી કોઈ નહીં
1,63,200
1,68,168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સહકારી બેંકોમાં નોન રેસીડન્ટ એક્સટર્નલ ડીપોઝીટ (NRE) ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ.
NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે.
2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે.
3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે.
4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP