GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ ત્રણ એક ચોક્કસ રીતે સરખા છે અને એક સમૂહ બનાવે છે. તે પૈકી કયો વિકલ્પ તે સમૂહમાં આવતો નથી ?

પીળા રંગનું બોક્સ 191
કાળા રંગનું બોક્સ 101
નારંગી રંગનું બોક્સ 121
લાલ રંગનું બોક્સ 231

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ નદીના આસપાસના વિસ્તારને 'નિખિલસ્તાન' કહે છે જેનો અર્થ ___ થાય છે.

સ્વપ્નોનો બગીચો
સિંધનો બગીચો
મૃતનો બગીચો
ઈડનનો બગીચો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે.
2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે.
3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં ?

રંગઅવધૂત મહારાજ
પૂજ્ય મોટા
જલારામ બાપા
મૂકસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ?

રાબ
કુમરી
જુમ અને દાંઝણા
પણ પાવરટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP