GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું. ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી. iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો. iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. 2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. 3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે. 2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે. 3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી. 4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું. ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો. iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું. iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો.