GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શૅર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ઈક્વિટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ___ નો સંદર્ભ કરે છે.

અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી
ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી
અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે.
2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે.
3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે.
II. આ S-400 મિસાઈલ સીસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) છે.
III. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

ફક્ત I અને II
I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ધ યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.
આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું.
UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP