GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. લૉર્ડ કેનીંગ આયોગની ભલામણોને આધારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ મુજબ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બોર્ડના ડાયરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે છે. 3. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ ગવર્નર અને આઠથી વધુ નહીં એટલાં પુરા સમયના ડાયરેક્ટરોની જોગવાઈ ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે. 2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે. 3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી. 4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.