GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે. 2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે. 3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી. 4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે. 2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે. 3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.