GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અંગે નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચુ/સાચા છે. વિધાન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. દોશી સમિતિની ભલામણ પર પ્રાદેશિક ગ્રામીણ બેંકો(RRBs) ની સ્થાપના કરવામાં આવી હતી. II. પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. III. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકોની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તે મર્યાદાઓને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. IV. પ્રાદેશિક ગ્રામીણ બેંકો મોટા પાયાના ઉદ્યોગો ને લાંબા ગાળાની લોન પ્રદાન કરે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે. શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે. III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે. IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.