GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. 2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં. 3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે. 4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે. 2. ભારતમાં બેન્કરેટ એ રેપોરેટ કરતાં વધુ છે. 3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે. 2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે. 3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.