GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. 2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં. 3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે. 4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે. 2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે. ૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.