GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર 10% ના બે સતત વળતર આપવામાં આવે છે. તો અંતે આ વસ્તુની કિંમત...

5% વધશે
3.3% વધશે
10% વધશે
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે.
III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.

ફક્ત III
ફક્ત I અને II
ફક્ત II અને III
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d
I-b, II-a, III-c, IV-d
I-c, II-d, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે.
2. મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે.
3. ગાંધીજી અને જિન્હાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી.
4. આ દરખાસ્ત જિન્હા દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.

માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?
I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો.
II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં.
III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.

ફક્ત II
ફક્ત I અને III
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP