કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વિદેશ મંત્રાલયે પૃષ્ટિ કરી છે કે ચીન 'પેંગોંગ ત્સો’ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું છે. આ પેંગોંગ ત્સો તળાવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે.
ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે.
પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે.
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI)એ 'વૈશ્વિક ફૂડ પોલિસી રિપોર્ટ : કલાઈમેન્ટ ચેન્જ એન્ડ ધ ફૂડ સિસ્ટમ' રજૂ કર્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતમાં ભૂખમરાનું જોખમ 2030 સુધીમાં 23% વધી શકે છે.
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતનું ખાદ્ય ઉત્પાદન 2030 સુધીમાં 16% ઘટી શકે છે.
આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક દષ્ટિએ એક આધારભૂત અંદાજો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનના સંદર્ભમાં વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન 2010ના સ્તરથી 2050 સુધીમાં લગભગ 60% વધશે.