GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
બરાબર બે જ રંગ ગમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?

125
110
આપેલ પૈકી કોઈ નહીં
130

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ?
1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી.
2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા.
3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
Q અને P વચ્ચે કયો સંબંધ છે ?

ભત્રીજો-ફોઈ
આપેલ પૈકી કોઈ નહીં
પુત્ર-માતા
ભાઈ-બહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ?

અમદાવાદ
બનારસ
સુરત
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આપેલ તમામ
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP