GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ ___ થાય.

બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી.
આપેલ પૈકી એક પણ નહીં
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

ફક્ત II, III અને IV
I, II, III અને IV
ફક્ત I અને IV
ફક્ત I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું.
II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.
III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.
IV‌‌. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.

ફક્ત I, II અને IV
ફક્ત I, II અને III
I, I, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ધન અને પ્રવાહી બળતણ વપરાય છે.
GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે.
3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું છે.

માત્ર 1
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP