GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે. IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન’ (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું. II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે. III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.