GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.
II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં.
III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.

ફક્ત I અને II
ફક્ત I
ફક્ત II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અગીયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે ?

અજંતા
ઈલોરા
કાન્હેરી
કાર્લે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ચોથી અનુસૂચિ - રાજ્યસભામાં બેઠકોની ફાળવણી
2. દસમી અનુસૂચિ - ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયક હોવા બાબતની જોગવાઈઓ
3. સાતમી અનુસૂચિ - કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી
4. છઠ્ઠી અનુસૂચિ - કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ

1, 2, 3 અને 4
માત્ર 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ?

19/90
7/30
આપેલ પૈકી કોઈ નહીં
23/90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-c, II-d, III-a, IV-b
I-b, II-a, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.
તારણો :
I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.
II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.

જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP