GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ? I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં. III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે ? I. વૃંદાવન સોલંકી II. ખોડીદાસ પરમાર III. મનહર મકવાણા IV. દેવજીભાઈ વાજા
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે. 2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે. 3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં. III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.